Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

બપોરે રિપોર્ટ નેગેટિવ અને સાંજે રિપોર્ટ પોઝિટિવ

એસવીપીની બેદરકારી સામે આવી

અમદાવાદ, તા. ૨૩ : અમદાવાદમાં કોરોના વાઈરસના કેસની સાથે મોતના આંકડા પણ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદની એસવીપી હોસ્પિટલની એક મોટી બેદરકારી સામે આવી છે. દર્દીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવવાની જાણ કરવાથી લઈને હોસ્પિટલમાં દાખલ કરવાને લઈને એસવીપી હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. હાટકેશ્વર વિસ્તારમાં રહેતા હર્ષ અસરાનીનો એક વીડિયો સામે આવ્યો છે. હર્ષના પિતાને બપોરે રિપોર્ટ નેગેટિવ હોવાનું કહીને ઘરે મોકલી દીધા અને એસવીપી હોસ્પિટલે દર્દી રાત્રે પોઝિટીવ હોવાનું કહી ફરી દાખલ કર્યા. ત્યારે તંત્રની બેદરકારીથી આખા પરિવારને કોરોના થયો છે. ત્યારે એસવીપીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, બે વ્યક્તિના નામ સરખા હોવાથી સમસ્યા થઈ હતી.

(9:41 pm IST)