Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

અમદાવાદમાંથી ૨૦૧૪માં ગુમ થયેલી જલધી ત્રિવેદી અને રશ્મી ભાવે હત્યા કેસની માહિતી આપનારને ૧૦ લાખનું ઇનામ અપાશે

અમદાવાદઃ ૨૦૧૪માં ગુમ થયેલ હરેશભાઇ ત્રિવેદીની પુત્રી જલધી ત્રિવેદી વિશે માહિતી આપનારને ૧૦ લાખનું ઇનામ આપવાની જાહેરાત સેન્‍ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવી છે.

આ ઉપરાંત ત્રણ વર્ષ પહેલાના ચકચારી રશ્મી ભાવે હત્યા કેસની માહિતી આપનારને ૧૦ લાખનું ઇનામ અપાશે.

સીબીઆઇ ટીમે જણાવ્યું હતું કે ૪-૧૦-૨૦૧૪ના રોજ જલધી ત્રિવેદી ગુમ થઇ હતી અને ૮ ઓક્ટોબરે છેલ્લી વખત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને જોવા મળી હતી ત્યારબાદ તેની કોઇ ભાળ મળી ન હતી. જેથી જલધીના પિતા હરેશભાઇ ત્રિવેદીઅે કરેલી અરજી બાદ હાઇકોર્ટે આ કેસ સીબીઆઇને સોંપ્યો હતો.

(5:28 pm IST)