Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સુરતના પાનસગામમાં અવસાન મકાનની છત તૂટી પડતા ત્રણ મહિલાઓ ઘાયલ: સ્થાનિકોમાં ભારે રોષ

વર્ષો જુના મનપાના આવાસના મકાનોના સમારકામની મરામતની જરૂર

સુરતના પનાસગામમાં મહાનગરપાલિકા આવાસના મકાનની છત તૂટી પડતા ત્રણ મહિલાઓ ઘાયલ થયા હતા. અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.આશરે 15થી 17 વર્ષ જુના મહાનગરપાલિકાના આવાસ છે.ત્યાં 720 મકાનોના આવાસમાં મરામતની જરૂરિયાત છે.તેમ સ્થાનિકો જણાવે છે 


જો કે આ ઘટનાની જાણ નજીકના લોકોને થતા તાત્કાલિક બચાવઅર્થે પહોંચી આવ્યા હતા અને ઘાયલ થનારને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી 

(8:28 pm IST)