Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

અલથાણ ગાર્ડન નજીક સમાજના ડરથી પ્રેમી પંખીડાએ ઝેર ગટગટાવ્યું

સુરત:અલથાણ ગાર્ડનના તળાવ પાસે આજે બપોરે ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવેલા પ્રેમીપંખીડાના ટુંકી સારવાર દરમિયાન વારાફરતી મોત થયા હતા. ચાર સંતાનના પિતા એવા યુવાન અને કુંવારી યુવતિ વચ્ચેના પ્રેમ અંગે પરિવારને જાણ થઇ જતાં સામુહિક આપઘાત કર્યો હતો.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ લાલદરવાજા સ્થિત રહેતો ૨૪ વર્ષીય સંજય સોલંકી અને રાખી (ઉ.વ. ૨૨, રહે. કતારગામ) આજે બપોરે ૧૨ વાગ્યે અલથાણ ગાર્ડનના તળાવ નજીક ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતા. સ્થાનિક વ્યક્તિની નજર પડતા પોલીસને જાણ કરી હતી. બંનેને ૧૦૮માં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન રાખીના મોત બાદ સંજયનું પણ મોત નીપજ્યું હતું.

પોલીસસૂત્રોએ કહ્યું કે, બંને જણા કઇ રીતે એકબીજાને ઓળખતા થયા તે ખબર નથી. બંને જણા વચ્ચે  ૭ થી ૮ માસથી અફેર હતું. જો કે, બંનેના પરિવારજનોને તેમના પ્રેમ અંગે ખબર પડી ગઇ હતી અને તેઓ લગ્ન કરી શકે તેમ ન હોવાથી  માનસિક તાણમાં આ પગલું ભર્યું હતું.

(6:29 pm IST)