Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પ્રાતિજના દલપુર નજીક લકઝરી ચાલકે બાઇકને ટક્કર મારતા ગંભીર ઇજાથી મોત

પ્રાંતિજ:ના દલપુર પાસે મોડી સાંજે લકઝરી ચાલકે બાઇક ઉપર જઇ રહેલા ચાલકને ટક્કર મારતાં માથા ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. બાઇક સવારને ૧૦૮ મારફતે હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. પ્રાંતિજના દલપુર ચોકડી પાસે રાત્રિના સમયે નેશનલ હાઇવે આઠ ઉપર લકઝરી બસના ચાલકે બાઇક ઉપર જઇ રહેલા દલપુરના પૂર્વ સરપંચ જશવંતસિંહ પરમારને ટક્કર મારી હતી. જેથી તેઓને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા ૧૦૮ મારફતે હિંમતનગરની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં પણ વધુ સારવાર મળે તે પહેલાં બાઇક ચાલક જશવંતસિંહ પરમારનું મોત નિપજ્યું હતું પોલીસે લકઝરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગલની તપાસ હાથ ધરી છે.

 


 

(6:29 pm IST)