Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજપીપળાથી રામગઢ ને જોડતા બ્રિજમાં તિરાડો બાદ પુલ બંધ કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કરજણ નદી પર બનેલા રાજપીપળા થી રામગઢ ને જોડતા બ્રિજ માં અચાનક તિરાડો પડતા ત્યાં સવાર સાંજ વોક માં જતા અને પુલ પરથી અવર જવર કરતા લોકોમાં પીલ્લર બેસી ગયો હોવાની વાતે ફફડાટ ફેલાયો હતો.
જોકે આ બાબતે આર એન્ડ બી ના અધિકારીઓ ને પૂછતાં ફક્ત જોઈન્ટ માં ક્ષતિ ના કારણે તિરાડો પડી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ બ્રિજ અવર જવર માટે બંધ કરી દેવાયા બાદ યુદ્ધ ના ધોરણે કમગીરી શરૂ થતા હાલ કમગીરી ના કારણે બ્રિજ બંધ હોય ટૂંક સમય માં કામ પૂર્ણ થયે આ બ્રિજ પુનઃ ખુલ્લો મુકાશે તેમ અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે.

(10:54 pm IST)