Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ,છારોડી, મેમનગરના ૨૦ સંતો દ્વારા મતદાન

 અમદાવાદ તા. ૨૩ વિશ્વમાં  આપણો ભારત દેશ વિશ્વની એક વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે.     

   મત આપવો એ આપણી નૈતિક અને સામાજિક ફરજ છે. સંતો જયારે દેશ ભકિતની સમાજને પ્રેરણા આપે છે, ત્યારે તેમની પ્રથમ ફરજ છે કે તેણે લોકશાહીનું જતન કરવું જોઇએ. ને યોગ્ય ઉમેદવારને મત આપવો જોઇએ.

    અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે, શ્રી સ્વામિનારાયણ સનાતન મંંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસગે અમેરિકા પધારેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી કોઠારી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીની આગેવાની નીચે, છારોડી એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તેમજ મેમનગર ગુરુકુલના વયોવૃદ્ધ પુરાણી ભકિતપ્રકાશધાજી સ્વામી સહિત ૨૦ સંતો વહેલી સવારે  છારોડી પ્રાથમિક શાળાના મતદાન મથકે જઇ પ્રથમ મતદાન કરેલ.

 

(3:37 pm IST)