Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભિલોડા તાલુકાના ખારી ગામે સાસરિયાના ત્રાસથિ કંટાળી પરિણિતાએ બે બાળકો સાથે મોતને વ્હાલુ કર્યુ

ભિલોડા:તાલુકાના ખારી ગામે પતિ સહિત સાસરીયાઓના ત્રાસથી ૩૦ વર્ષિય પરણીતા એ બે બાળકો સાથે અગન પીછોડો ઓઢી લઈ મોતને વહાલું કર્યું હતું.આ ચકચારી ઘટનામાં પરણીતાને ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનાર પતિ સહિતના ત્રણ આરોપીઓ વિરૃધ્ધ દુષ્પ્રેરણ નો ગુનો નોંધાયો હતો.પરંતુ પોલીસ પકડથી બચવા નાસતા ફરતા આ ત્રણેય આરોપીઓ ને શામળાજી પોલીસે ઝડપી હવાલાતે કર્યા હતા.

ભિલોડા તાલુકાના ખારી ગામે ૩૦ વર્ષિય પરણીતા સોનીયા એ પોતાના ૫ વર્ષના પુત્ર જૈનિક અને માત્ર ૧૧ માસની જ બાળકી નિધી સાથે અગનપીછોડો ઓઢી લઈ જીંવન ટૂંકાવી નાખતાં આ હદયદ્વાવક ઘટના એ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી હતી.પતિ દુર્ગેશ,દિયર રાઘવ અને નણંદ મિત્તલ ના અસહ્ય ત્રાસથી પરણિતાએ પોતાના વહાલસોયા બે સંતાનો સાથે કેરોસીન છાંટી આગ ચાંપી દેતાં આ ત્રણેય જણા કરૃણ મોતને ભેટયા હતા. જયારે મૃતક સોનીયાની બહેન આલ્ફાબેન પંચાલ દ્વારા શામળાજી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

લગ્ન જીવનના માત્ર પાંચ જ વર્ષમાં પરણીતાને બે બાળકો સાથે મરવા મજબુર કરનાર પતિ દુર્ગેશ કાન્તીભાઈ ભગોરા,દિયર રાઘવ કાન્તીભાઈ ભગોરા અને નણંદ મીત્તલ કાન્તીભાઈ ભગોરા વિરૃધ્ધ ઈપીકો કલમ ૪૯૮(ક),૩૦૬ અને ૧૧૪ હેઠળ નોંધાયેલ ગુના ના આરોપીઓને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.પરંતુ છેલ્લા ૪ દિવસથી નાસતા ફરતા આ આરોપીઓને શામળાજી પોલીસે શનીવારે ઝડપી હવાલાતે કરી દીધા હતા.

(6:06 pm IST)