Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સાબરમતી નદીમા ન્હાવા પડેલ ૬ યુવાનો પૈકિ એક્નો પાણીમા ગારકાવ

સાબરકાંઠા: જિલ્લાનાં પ્રાંતિજના સાદોલીયા સાબરમતી નદીમાં ન્હાવા પડેલ છ યુવાનોમાંથી એક યુવાનનું પાણીમાં ગરકાવ થવાથી મોત થયું હતું. પ્રાંતિજના વદરાડમાં જાનમાં આવેલ ખેરાલુ તાલુકાના મલ્હારપુર ગામના છ જાનૈયાઓ પરત ફરતાં હતાં તે સમયે સાદીલીયા ચેક ડેમ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં છ યુવાનો ન્હાવા પડયા હતાં તો એક યુવકનો પાણીમાં ગરકાવ થયો હતો.

તો આ અંગેની જાણ પ્રાંતિજ અને હિંમતનગર ફાયર ટીમોને કરતાં બંને ટીમો તાત્કાલિક ઘટના સૃથળે દોડી આવી હતી તો ત્રણ કલાકની શોધખોળ બાદ અંધારુ થયું ત્યાં સુધી બંને ટીમો દ્વારા નદીમાં ગરકાવ થયેલ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો શોધખોળ બાદ કોઈ ભાળ ન મળતાં બીજા દિવસે સવારે માણસા પોલીસ તથા પરિવારજનો સૃથળ ઉપર આવતાં મૃતક યુવક કાન્તીજી સરતાનજી ઠાકોર ઉ. વર્ષ ૩૫ પાણીમાં લાશ ઉપર દેખાતા સૃથાનિક તરવૈયાની મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી અને માણસ સિવિલ ખાતે પીએમ આૃર્થે અને પીએમ બાદ પરિવારજનોને સોંપવામાં આવી હતી. યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોતને લઈને પરિવાર સહિત ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

(6:06 pm IST)