Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

બનાસકાંઠા :ભેદી રોગચાળાથી લોકોમાં ફફડાટ :પાલનપુર ટ્રોમા સેન્ટર દર્દીઓથી ઉભરાયું :અમીરગઢ અને દાંતા વિસ્તારના મોટી સંખ્યામાં દર્દીઓ

બનાસકાંઠામાં ભેદી રોગચાળાના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. રોગની સારવાર માટે પાલનપુરમાં લોકોનો ધસારો વધતા પાલનપુરમાં આવેલુ ટ્રોમા સેન્ટર દર્દીઓથી ઉભરાયું છે. ટ્રોમા સેન્ટરમાં અમીરગઢ અને દાંતા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ભેદી રોગના કારણે બનાસકાંઠામાં ફરીવાર આરોગ્ય તંત્ર ઊંઘતુ ઝડપાયુ છું. ત્યારે અમીરગઢ અને દાંતાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવતા લોકોમાં રોષ પણ ફેલાયો છે.

(8:31 pm IST)