Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સાણંદમાં અસામાજિકોનો આતંક :વ્યાજખોરોએ જાહેરમાં પરિવારને માર માર્યો

અમદાવાદના સાણંદમાં અસામાજીક તત્વોનો આતંક વધ્યો છે જેમાં રૂપિયાની લેતીદેતીના મામલે વ્યાજખોરોએ એક પરિવારને જાહેરમાં માર માર્યો હતો  જેનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં .

દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વ્યાજખોરો જાહેરમાં લાકડીઓ વડે એક પરિવારને માર મારી રહ્યા છે. દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે, જાણે અસામાજીક તત્વોને કાયદો અને વ્યવસ્થાની કોઈ બીક નથી.

   અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી લૂંટ-ફાટ,મારામારી અને હત્યાના બનાવો દિવસને દિવસે વધી રહ્યા છે ત્યારે પ્રકારના અઘટિત બનાવો અટકાવવા સરકાર દ્વારા કોઇ કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી ગુજરાતની પ્રજાએ માંગણી કરી હતી

(1:36 am IST)