Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

બંગાળી પરિણિતાને ભગાડી જવાના મામલે કામરેજના પીએસઆઇ સસ્પેન્ડ:અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ

અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા દેવદાસ બિશ્વાસે પીએસઆઇ સમીર પરમાર તેની પત્નીને ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી

સુરત ;બંગાળી પરણીતાને ભગાડી જવાના ગુન્હામાં કામરેજના પીએસઆઇ સમીર પરમારને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા દેવદાસ બિશ્વાસે પોતાની પત્નીને કામરેજના પીએસઆઇ સમીર પરમાર ભગાડી ગયા હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડાએ કામરેજ પીએસઆઈ સમીર પરમારને સમસ્પેન્ડ કરીને ફરિયાદી પત્નીને ભગાડી જવાના કેસમાં ફરિયાદ નોંધી છે.

  અંગેની વિગત મુજબ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી અને અંકલેશ્વર જીઆઈડીસીના કાવેરી એપાર્ટમેન્ટમાં રહેતા દેવદાસ બિશ્વાસે સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસાઈ સમીર પરમાર સામે તેની પત્નીને ભગાડી ગયા હોવાની ફરિયાદ કોર્ટમાં કરી હતી.ફરિયાદ મુજબ પરણિતા ગત 27 ઓક્ટોબર 2017ના રોજ સાંજે ઘરેથી નીકળી હતી પરંતુ તે ઘરે પરત આવી નહીં. અંગે ત્રણ દિવસ શોધખોળ કર્યા બાદ પતિ દેવદાસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અંગે પત્નિ ગુમ થવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ દેવદાસનો આક્ષેપ છે કે તેની પત્નીને પીએસઆઈ સમીર પરમાર ભગાડી ગયો છે.

આક્ષેપ એવો છે કે જ્યારે સમીર પરમાર ભરૂચના વાલીયામાં ફરજ પર હતા તે સમયે દંપતિ નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં રહેતું હતું. સમયે પરણિતા અને પીએસઆઈ એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.

(1:00 am IST)