Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અંક્લેશ્વર જીઆઈડીસીમાં ધોળેદિવસે તસ્કરો ત્રાટક્યા : સોનાના દાગીના સહીત 1,34 લાખની ચોરી કરી ફરાર

પરિવાર કરિયાણું લેવા ગયોને તસ્કરો ચોરીને અંજામ આપી નાસી છૂટ્યા

 

અંકલેશ્વ જીઆઈડીસીમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને સોનાના દાગીના સહીત 1,34 લાખની ચોરી કરીને નાસી છૂટયા હતા જીઆઈડીસીમાં આવેલ સુખધામ એપાર્ટમેન્ટમાં રહેતો પરિવાર કરિયાણુ ખરીદવા ગયો અને ચોર સોનાનાં દાગીના તેમજ રોકડા મળીને .૩૪લાખનાં મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

  અંકલેશ્વર જીઆઇડીસીની સુખધામ સોસાયટીનાં મકાન નંબર ૧૦૫માં રહેતા વિક્રમ રામાભાઈ પટેલ ફેબ્રિકેશનનું કામ કરે છે તારીખ ૨૧મી માર્ચે વિક્રમ પટેલ કામ અર્થે પાનોલી જીઆઇડીસીમાં ગયા હતા તેઓના ઘરમાં તેમના પત્ની રમીલાબેન , પુત્રવધુ અનામિકા અને દીકરી કાજલ ઘરે હતા.

(12:09 am IST)