Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

હિંમતનગરના ઘોરવાડાની હત્યાનો ભેદ ઉકેલાયો :મફતમાં સોનુ મેળવવાની લાલચ આપી તાંત્રિકે મોતને ઘાટ ઉતાર્યો

મકાનમાં સોનુ દટાયું હોવાની લાલચ આપીને તાંત્રિકે વિધિના બહાને ઊંડો ખાડો ખોદીને કાસમભાઈને બોથડ પ્રદાર્થ મારી હત્યા કરી

હિંમતનગરના ઘોરવાડા ગામે ચાર દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે મફતમાં સોનું મેળવવા માગતા ઈસમને તાંત્રિકે મોતને ઘાટ ઉતારી દીધો હોવાની વિગતો બહાર આવી છે જેમાં કાસમભાઇની હત્યા કરનાર આરોપી તાંત્રિક પોલીસ સકંજામા આવી ગયો છે.
 
અંગેની વિગત મુજબ ઘોરવાડા ગામના એક કાચા મકાનમાંથી ચારેક દિવસ પહેલા જમીનમાં ફૂટ દાટી દેવાયેલી લાશ મળી આવી હતી. માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી હોવાથી પોલીસે ડોગ સ્કવોર્ડ અને એફ.એસ.એલ ની મદદ લઇ તપાસ હાથ ધરી હતી. જો કે તપાસ દરમિયાન કાસમભાઈ મન્સૂરી નામના ઇસમની હત્યા તાંત્રિક વિધિ દરમિયાન થઇ હોવાનું બહાર આવ્યું હતું.

  મકાનમાં સોનું દટાયું હોવાની લાલચ આપીને કાળુભાઈ નામના તાંત્રિકે પૈસા પડાવવાનું ચાલુ કર્યું અને બાદમાં રાત્રે તાંત્રિક વિધિનું કહી ફૂટ ઊંડો ખાડો ખોદીને કાસમભાઈના માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરી દીધી અને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

(1:18 am IST)