Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યું મહાનગરોની જનતાનો

વિશ્વાસ પુનઃપ્રસ્થાપિત કરવા માટે વધુ પરિશ્રમ કરીશું

અમદાવાદ : ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર જોવા મળી રહી છે, ત્યારે કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, ગુજરાતના 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ કોંગ્રેસના મહાનગરના કાર્યકર્તાઓને નિરાશ કરનારા છે. અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. દરેક ઘનઘોર રાત્રી બાદ સવાર જરૂર થાય છે. મહાનગરોની જનતાનો વિશ્વાસ પુનઃપ્રસ્થાપિત કરવા માટે વધુ પરિશ્રમ કરીશું

ગુજરાતની તમામ 6 મહાનગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવી દીધો છે.

તમામ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મોટી લીડ મેળવી લીધી છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના ટ્વીટરના માધ્યમથી કહ્યું હતું કે, વડાપ્રધાન  મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહના ગુજરાતે ભવ્ય વિજય અપાવીને, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એ ફરી વખત સાબિત કર્યું છે.

6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય એ ગુજરાતની જનતાનો વિજય છે. વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય છે. સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.

(1:19 am IST)