Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

નાંદોદના વેરીસાલપુરા ગામની પરણિત મહિલાને બેભાન કરી બળાત્કાર કરતા ચકચાર : ગામના જ યુવાન વિરુદ્ધ ફરિયાદ

મહિલાને તાંત્રિક વિધીથી વશમાં કરી નજીકના કોતર માં લઇ ગયા બાદ બેભાન કરી બદકામ કર્યું હોવાની ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા માં એક બાદ એક હત્યા બળાત્કાર ની ઘટના સામે આવતા ગુનાનું પ્રમાણ વધતું જોવા મળે છે જોકે નર્મદા એલસીબી સહિતની પોલીસ ટીમો ગણતરીના દિવસોમાં ગુનેગાર ને ઝડપી પાડે છે છતાં નવા મોટા ગુના પોલીસ ચોપડે નોંધાય જ છે.જેમાં નાંદોદના વેરીસાલપુરા ગામમાં બળાત્કારનો ગુનો નોંધાયો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના વેરીસાલપુરા ગામની પરણિત મહિલાને બેભાન કરી બળાત્કાર કાર્યની ફરિયાદ નોંધાઈ હોય આ ફરિયાદ મુજબ વેરીસાલપુરાની એક પરણિત મહિલાને તેના ગામનો શેલાભાઈ ભોગીલાલ વસાવાએ મહિલા ઘરના વાડામાં એકલી હતી ત્યારે તેની પર દાણા નાખી તાંત્રિક વિધી કરી પોતાના વશમાં કરી પોતાની પાછળ પાછળ જંગલ ઝાડી વાળા કોતરમાં તેડી લઇ ગયા બાદ બેભાન કરવાનું પ્રવાહી સૂંઘાડી બેભાન કરી બદકામ કરી તેને એકલી જંગલ ઝાડીના કોતરમાં નગ્ન અવસ્થામાં છોડી ભાગી છૂટ્યો હતો.

  આ બાબતે ભોગ બનનાર મહિલા એ રાજપીપળા પો.સ્ટે.માં શેલા વસાવા વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે બળાત્કારનો ગુુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ રાજપીપળા ટાઉન પીઆઇ આર.એન. રાઠવા કરી રહ્યા છે.

(3:46 pm IST)