Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

અમદાવાદ ;મહિલા પર નજર બગાડતા યુવકને લમધારતા મોત; ત્રણ સામે હત્યાનો ગુન્હો નોંધાયો

 

અમદાવાદમાં મહિલા પર ગંદી નજર રાખ્યાનો ખાર રાખીને એક પરિવારના પિતા અને તેના બે પુત્રોએ યુવકને લમધારતા યુવકનું મોત નીપજ્યું છે

અંગેની વિગત મુજબ અમદાવાદ સાબરમતીના કબીરચોક પાસે આવેલી શિવ કનૈયાલાલની ચાલીમાં ગત મોડી રાતે યુવકની હત્યા કરવામાં આવી હતી. પિતા અને બે પુત્રોએ મળી યુવકને માર માર્યો હતો. ઘરની મહિલાઓ પર યુવક ખરાબ નજર નાખતો હોવાને આરોપ મુકીને યુવકને માર માર્યો હતો. સાબરમતી પોલીસે ત્રણેય આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. મૃતક કૃણાલ સાબરમતીના કબીરચોકમાં આવેલી શિવ કનૈયાલાલની ચાલીમાં રહેતો હતો.

(11:16 pm IST)