Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

એસટી વિભાગની હડતાલ સમેટાઈ :રાજ્ય સરકારે પડતર માંગણી સ્વીકારવા બાહેંધરી આપતા નિર્ણય ;વહેલી સવારથી બસો દોડવા લાગશે

અમદાવાદ :રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી ST વિભાગની હડતાળ બીજા દિવસની સાંજે સમેટાઇ ગઇ છે.  રાજ્ય સરકાર અને સંકલન સમિતિ સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


સરકાર સાથેની બેઠકમાં પડતર માગણીઓ સ્વીકારવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. તો વહેલી સવારથી રાબેજા મુજબ ST બસો દોડતી થશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

શુક્રવારે સાંજ ST સંગઠન તથા સરકાર વચ્ચે ગાંધીનગર ખાતે બેઠક મળી હતી, જો કે બેઠકમાં કોઇ સમાધાન આવ્યું નહીં, જેના બાદ હજુ પણ હડતાળ ચાલુ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ મોડી રાતે સરકાર અને ST કર્મચારીઓની સંકલન સમિતિ વચ્ચે વાતચિત બાદ હડતાળ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

(11:16 pm IST)