Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

આણંદ જિલ્લા કલેકટર કચેરીના ચોથા માળેથી ઝંપલાવીને ક્લાર્કનો આપઘાત

બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યાનું તારણ ;તેમના પત્ની પણ સરકારી કચેરીમાં નોકરી કરે છે

આણંદ જિલ્લા કલેક્ટર ઓફિસના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના ક્લાર્ક ગજેન્દ્રભાઈ ઠાકરે જૂની જિલ્લા પંચાયત કચેરીનાં ચોથા માળેથી નીચે છલાંગ લગાવીને આપઘાત કરી લેતા હાહાકાર મચી ગયો હતો.

    ગજેન્દ્રભાઈની પાસેથી મળેલી આ ચબરખીમાં તેમને ઈચ્છા મૃત્યુ લેવાની ઈચ્છા થઈ છે તેવુ લખાયેલુ હતુ. કહેવાય છે કે, ગજેન્દ્રભાઈ કોઈ બિમારીથી પિડાતા હતા અને તેનાથી કંટાળીને તેમણે અંતિમ પગલુ ભર્યું હશે. પરંતુ, તેમની પાસેથી મળેલી ચિઠ્ઠીને કબજે લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે

 . સૂત્રો કહે છે કે, ગજેન્દ્રભાઈની પત્ની પણ સરકારી કચેરીમાં નોકરી કરે છે. જોકે, આપઘાતના આ બનાવથી સરકારી ઓફિસમાં કામ કરતાં કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.

(6:23 pm IST)