Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાજ્યના પોલીસ વડા સહિત અત્યાર સુધીમાં 1500 પોલીસ જવાનો થયા કોરોના સંક્રમિત

અમદાવાદ શહેર પોલીસમાં અંદાજે 30 ટકા જેટલો પોઝિટિવિટી રેટ

અમદાવાદ : કોરોનાની ત્રીજી લહેરમાં પોલીસ પણ કોરોનાના સકંજામાં આવી છે. રાજ્યના પોલીસ વડા સહિત લગભગ 1500 પોલીસ જવાનો ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદ શહેર પોલીસમાં અંદાજે 30 ટકા જેટલો પોઝિટિવિટી રેટ છે. જોકે મળતી માહિતી મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોરોના ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલી પોલીસની બેઠકમાં કેટલાક અધિકારીઓ સંક્રમિત આવ્યા હતા, જેના પછી અધિકારીઓ વીડિયો કોન્ફ્રન્સિંગ મારફતે મીટિંગ કરી રહ્યા છે.

(12:45 am IST)