Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબમાં મારામારી ભાભીને તેમના નણંદ,ભાણેજ અને ભાણીએ લમધારી

પારિવારિક પ્રશ્ન કે મિલ્કતનો વિવાદ હોવાનું અનુમાન

અમદાવાદની જાણીતી કર્ણાવતી કલ્બમાં મારા-મારીનો કિસ્સો સામે આવ્યો છે એક મહિલા પર હુમલો થયાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી પોલીસે સમગ્ર મામલે સમજી પોલીસ ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.

  ફરિયાદી મહિલા વૈશાલીની પટેલે આરોપી લગાવતા ફરિયાદ આપી છે કે, તેમના નણંદ, ભાણેજ અને ભાણીએ કલ્બમાં જાહેરમાં તેમને પટકીને માર માર્યો છે અને જેનો સીસીટીવી પણ તેમને જાહેર કર્યા છે. તેમનુ કહેવુ છે કે, બુધવારે તે કલ્બમાં આવ્યા હતા ત્યારે તેમની નણંદ તેમની પાસે આવી અને અમારો ફોટો કેમ લો છે, તેમ કહી તેમને માર માર્યા હોવાનો આરોપ તેમને લગાવ્યો છે.
    ફરિયાદી ઈવેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ છે અને તેમના પતિ કન્સટ્રકશનનો વેપાર કરતા હતા પરંતુ, દોઢ-બે વર્ષ પહેલા તેમનુ મૃત્યુ થતા તેમની નણંદ માનષિક ત્રાસ આપી રહ્યા છે. આ મામલે તેમને પોતાના સસરાને પણ કહ્યુ છે છતા કોઈ ઉકેલ આવ્યો નથી.
  પોલીસનુ કહેવુ છે કે, આ સમગ્ર મામલે બુધવારે આઈપીસી 323,114 મુજબ ફરિયાદ લઈ કાર્યવાહી કરી રહ્યા છીએ. સાથો સાથ પોલીસનુ માનવુ છે કે, આ મામલો પારિવારિક છે અને મિલકતને લઈ કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તેવુ પણ હોઈ શકે છે પરંતુ, હાલ તો સીસીટીવી ફુટેજ મેળવી આગળની કાર્યવાહી કરીશુ.

(10:23 pm IST)