Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

યુવા મોરચા દ્વારા મશાલ રેલી, તિરંગા યાત્રા, પદયાત્રા યોજાશે

પ્રજાસત્તાક દિન અનુસંધાને સીએએ સમર્થનમા કાર્યક્રમ : પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી ૨૫ જાન્યુઆરીના રોજ ભાવનગરમાં યુવા મોરચા દ્વારા યોજાનાર બાઇક રેલીમાં ઉપસ્થિત રહેશે

અમદાવાદ, તા. ૨૩ : પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડૉ. ઋત્વિજ પટેલે આજરોજ શ્રીકમલમ ખાતે ઇલેકટ્રોનિક મીડીયાને સંબોધતા કહ્યું હતુ કે, આવનાર પ્રજાસત્તાક દિન અનુસંધાને ૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા તમામ જીલ્લા/મહાનગરોમાં સીએએના સમર્થનમાં અને સીએએના જનજાગૃત્તિ માટે વિવિધ કાર્યક્રમો જેમ કે, તિરંગા યાત્રા, પદયાત્રા, બાઇક રેલી, મશાલ રેલી જેવા કાર્યક્રમો યોજાશે. પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી ભાવનગર શહેર ખાતે યોજાનાર બાઇક રેલીમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

           પ્રદેશ મહામંત્રીશ્રી કે. સી. પટેલ મહેસાણા ખાતે ઉપસ્થિત રહેશે. પ્રદેશ ઉપપ્રમુખશ્રી ગોરધનભાઇ ઝડફિયા અમદાવાદ જીલ્લા ખાતે ઉપસ્થિત રહેશે. પ્રદેશ ઉપપ્રમુખશ્રી ભાર્ગવભાઇ ભટ્ટ વડોદરા ખાતે ઉપસ્થિત રહેશે. તેમજ દરેક જીલ્લા/મહાનગરોમાં વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સીએએના જનજાગૃતિ અભિયાન અંતર્ગત સીએએના કાયદા વિશેની જનજાગૃત્તિ લાવવાનું કામ રેલીઓના માધ્યમ થકી સમગ્ર ગુજરાતમાં પ્રયાસ કરવામાં આવશે. જે રીતે કોંગ્રેસ અને વિઘટનકારી તત્વો દ્વારા ઝ્રછછને લઇને લોકોમાં ભ્રમ ફેલાવાનું કામ હાથ ધરાયુ, તે ભ્રમને દુર કરવાનું કામ યુવા મોરચો કરશે.

(8:46 pm IST)