Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

બોરસદ તાલુકાના દહેમી નજીક નજીવી બાબતે પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપતા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી

બોરસદ: તાલુકાના દહેમી ગામે ખેતરમાં જવાના રસ્તા બાબતે પિતા-પુત્રને લાકડીથી માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં આ અંગે બોરસદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી નરહરીભાઈ ભીખાભાઈ પટેલનું સ્વામિનારાયણ મંદિર પાછળ ખેતર આવેલું છે જેમાં જવાનો રસ્તો કુટુંબી અમરીષભાઈ ઉર્ફે ભીખાભાઈ પુનમભાઈ પટેલના ઘર પાસેથી હોય આ રસ્તા બાબતે તકરાર ચાલતો હતો જેને લઈને અમરીષભાઈએ હાઈકોર્ટમાં અપીલ કરતાં કોર્ટે પણ તેમની અપીલ કાઢી નાંખી હતી. દરમિયાન ગઈકાલે નરહરીભાઈ પોતાના ખેતરમા ંતમાકુના પીલા કાઢતા હોય અમરિષભાઈ તેમની પત્ની અને પોપટભાઈના પત્ની આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને નરહરીભાઈને લાકડીથી બરડા, પીઠ, આંખ ઉપર માર માર્યો હતો. નરહરીભાઈનો પુત્ર મુકેશભાઈ વચ્ચે પડતા ંતેને પણ લાકડીથી માર માર્યો હતો.

(5:19 pm IST)