Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

પેટલાદ તાલુકાના આમોદ નજીક કિશોરનું ધર્મપરિવર્તન કરાવવા બદલ પાદરી સહીત કિશોરની માતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ

પેટલાદ: તાલુકાના આમોદ ગામે કિશોરનું ધર્મપરિવર્તન કરાવવા બદલ કેથોલીક ચર્ચના પાદરી અને કિશોરની માતા વિરૂધ્ધ પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આમોદ ગામે રહેતા સુધાબેન મકવાણાએ પોતાના પુત્ર જોયેલનું સને ૨૦૧૩માં જિલ્લા કલેક્ટરની મંજૂરી લીધા વગર હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતુ. જેની જાણ ધર્મજના જસ્ટીસ ફોર પીસ એન્ડ જસ્ટીસના કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ નટવરસિંહ રાઠોડને થતાં જ તેઓએ પેટલાદ રૂરલ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સને ૨૦૦૧માં આમોદ ગામે રહેતા સુધાબેને મીથીલેશકુમાર ચૌરસીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને બાદમાં છૂટાછેડા પણ લઈ લીધા હતા.

(5:18 pm IST)