Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભાજપના મોવડી મંડળ પર પૂરો વિશ્વાસઃબેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે : પડતર પ્રશ્નોનો આવશે ઉકેલ: ઇનામદાર

કાલે જીતુભાઇ વાઘાણી સાથે ચર્ચા કરીશ : સ્ટ્રીટ લાઈટ મુદ્દે સૌરભ પટેલે યોગ્ય જવાબ નહોતો આપ્યો

 

વડોદરા : સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું આપવામાં આવતા નવો નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ બાદ કેતન ઇનામદારે નિવેદન આપ્યું હતું

  . ઇનામદારે કહ્યું હતું કે, બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહીની બાહેંધરી મળી. પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે પણ સ્પષ્ટતા થઈ છે. મને ભાજપના મોવડી મંડળ પર પૂરો વિશ્વાસ છે. પ્રજાહિતના કાર્યોમાં કોઈપણ અવરોધ સહન નહીં થાય. સરકાર પર લોકોનો ભરોસો કાયમ રહેવો જોઈએ. આવતીકાલે જે થશે એ સારૂ થશે. કાલે જીતુ વાઘાણી સાથે મળીને ચર્ચા કરીશ. સૌરભ પટેલને રજૂઆત કરતા યોગ્ય જવાબ મળ્યો ન હતો. સ્ટ્રીટ લાઇટ મુદ્દે રજૂઆત કરતા MGVCL તરફથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. 

(12:08 am IST)