Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

૨૦ મામલતદારોની બદલી

પોરબંદરના વાછાણી રાજકોટમાં અધિક ચીટનીસ, એસ.જે.ચાવડા બીનખેતીમાં, જાફરાબાદના ચૌહાણની રાજુલા બદલી, થાનના દતાણી અમદાવાદ કોર્ટમાં અને લાલપુરના હડીયલ ભાવનગર કલેકટર કચેરીમાં મુકાયા

રાજકોટ, તા. ૨૩ :. રાજ્યના મહેસુલ વિભાગે નાયબ સચિવ શ્રી દિલીપ ઠાકરની સહીથી ૨૦ મામલતદારોની બદલીના હુકમ કર્યા છે.

રાજુલાના આર.ડી. ચૌહાણ એજ્યુકેટીવ મેજીસ્ટ્રેટ મેટ્રોપોલીયન કોર્ટ અમદાવાદ ખાતે, ભૂજના આર.એમ. સોની સાબરકાંઠાના ખેડબ્રહ્મામા ચીટનીસ ટુ પ્રોજેકટ વહીવટદાર તરીકે, ગારીયાધારના એમ.એન. જોશી ગાંધીનગર આદિજાતિ કમિશ્નર કચેરીમાં, કુતિયાણાના જે.પી. હીરપરા વડોદરા બીનખેતીમાં, વઢવાણના વી.એમ. ચૌધરી ડાંગ મધ્યાહન ભોજનમાં, માળીયામિંયાણાના એસ.વી. ચમાર કચ્છ ચૂંટણી વિભાગમાં મુકાયા છે.

પોરબંદરના જે.વી. વાછાણી રાજકોટ કલેકટર કચેરીમાં અધિક ચીટનીસ, રાજકોટ પૂર્વના એસ.જે. ચાવડા રાજકોટ બીનખેતીમાં, બોટાદના વી.કે. પટેલ મેઘરજ અરવલ્લીમાં, થાનગઢના આર.એમ. દતાણી એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કોર્ટ નં.-૨, અબડાસાના વી.ડી. પુજારા અધિક ચીટનીસ ભાવનગર, લાલપુરના સી.ટી. હડીયલ ભાવનગર જનસંપર્કમાં, જાફરાબાદના એન.એમ. ચૌહાણ રાજુલામાં, રાણપુરના કે.જી. ચાવડા જાફરાબાદમાં, રાજકોટ બીનખેતીના અર્જુન ચાવડા રૂડામાં મામલતદાર તરીકે નિમણૂક પામ્યા છે.

ઉપરાંત પ્રોબેશનલ પીરીયડમાં રહેલા ૫૮ મામલતદારોને જુદા જુદા જિલ્લાઓમાં ૨૯ જૂન સુધીની મુદત માટે નિમણૂક અપાયેલ છે. જેમાં જસદણમાં પ્રિયાંકકુમાર ગલચર, જેતપુરમાં પુજા જોટાણીયા, વડીયામાં ભાર્ગવ ડાંગર, રાજકોટ ગ્રામ્યમાં જયસુખ લીખીયા વગેરેની નિમણૂક થઈ છે.

(11:38 am IST)