Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અહેમદભાઇ પટેલને જીતાડવામાં સિંહફાળો આપનાર શકિતસિંહ ગોહિલને રાજયસભાના સભ્ય બનાવી શિરપાવ આપવા તૈયારીઃ પદ્મભુષણ ઇલાબેન ભટ્ટને પણ કોંગ્રેસ રાજયસભામાં મોકલશે

અમદાવાદ : રાજયસભાની ગયા વર્ષની ચૂંટણી વખતે અહેમદભાઇ પટેલને હરાવવા ભાજપે આકાશ-પાતાળ એક કર્યા હતાઃ પરંતુ પ્રદેશ નેતા શકિતસિંહ ગોહિલે વ્યુહરચના ઘડીને ધારાસભ્યોને એક રાખ્યા હતા એટલુ જ નહી અહેમદભાઇને જીતાડવામાં તેમનો સિંહફાળો હતોઃ તેથી તેમને કોંગ્રેસ હવે તેમને રાજયસભામાં મોકલી શિરપાવ આપશેઃ આ ઉપરાંત પદ્મભુષણ ઇલાબેન ભટ્ટના નામની પણ ચર્ચા છેઃ એક મહિલા ઉમેદવારને કોંગ્રેસ રાજયસભામાં મોકલવા માંગે છેઃ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પણ રાજયસભામાં જવુ છે પરંતુ કોંગ્રેસ હાઇકમાન્ડ તેમની વાત નહી સાંભળે તેવુ કહેવુ છેઃ ચૂંટણીમાં વિજય છતાં ભાજપની બે બેઠકો ઘટશેઃ જેનો ફાયદો કોંગ્રેસને મળશેઃ ભાજપના ચાર સભ્યોની ટર્મ પુરી થઇ રહી છે તેમાંથી ભાજપ માત્ર બેને જ મોકલી શકશેઃ બે બેઠક કોંગ્રેસના ફાળે જશે.

(11:34 am IST)