Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

શાંતિ બિઝનેસ સ્‍કૂલનો ૧૧મો દિક્ષાંત સમારોહ

અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્‍કૂલમાં પીજીડીએમ (માર્કેટિંગ)ના  ૨૦૨૦-૨૨ બેચના વિદ્યાર્થીઓ માટે ૧૧મો દિક્ષાંત સમારોહ યોજાયો હતો. ૧૮૧ છાત્રોએ પીજી ડિપ્‍લોમા પ્રાપ્‍ત કર્યા હતાં. એસબીએસના ડો. નેહા શર્માએ તમામ મહાનુભાવો, આમંત્રિતો, વાલીઓ, ફેકલ્‍ટીનું સ્‍વાગત કર્યું હતું. તેણીએ પાંચ મુખ્‍ય લેસન્‍સ  ઇનોવેશન, ટ્રાન્‍સફોર્મેશન, ટીમ વર્ક, ઈફેક્‍ટિવ કોમ્‍યુનિકેશન, અને ડેવલપવપિંગ રિજિલયન્‍સ ઉપર પર ભાર મુકવા વિદ્યાર્થીઓને જણાવ્‍યું, તેમજ સફળ કારકિર્દી માટે શુભેચ્‍છા પાઠવી. હતી. આ તકે ઇન્‍ડસઇન્‍ડ બેંકના ચીફ એક્‍ઝી. લલીત જાધવ મુખ્‍ય અતિથી તરીકે હાજર રહ્યા હતાં અને તેમણે પદવીધારકોને અભિનંદન સાથે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. ઓવરઓલ એકેડેમિક એક્‍સેલન્‍સ એવોર્ડ ૅનાયર અખિલ કળષ્‍ણદાસને આપવામાં આવ્‍યો હતો.

(3:22 pm IST)