Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

અમદાવાદમાં 15 કેસ સહીત રાજ્યમાં કોરોનાના નવા 29 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 24 દર્દીઓ સાજા થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :કુલ મૃત્યુઆંક 10.090 :કુલ 8.16.654 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 4.62.380 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 11 કેસ, વડોદરામાં 6 કેસ, વલસાડમાં 4 કેસ, સુરતમાં 2 કેસ, આણંદ, જૂનાગઢ અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 230 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 29 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ  24 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે  જોકે આજે નવા કેસમાં વધારો નોંધાયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 29 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 24 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.654 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 4.62.380 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.48.02.595 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 235 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 લોકો વેન્ટિલેટર પર અને 230 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.654 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.090 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 29 કેસમાં અમદાવાદમાં 15 કેસ, વલસાડમાં 5 કેસ, વડોદરામાં 4 કેસ, સુરતમાં 3 કેસ, જામનગર અને ખેડામાં 1-1 કેસ નોંધાયો છે

(8:02 pm IST)