Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કોઈનો કોઈ ધર્મ કે પક્ષ નથી: સૌ ધારાસભ્યો ધંધાદારીઓ છે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ બળાપો ઠાલવ્યો

અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ધારાસભ્ય બન્યાં તેનો બળાપો વ્યક્ત કર્યો છે. પ્રધ્યુમનસિંહે કહ્યું વિધાનસભામાં આવવાની વાતને અફસોસ ગણાવી, બધાં જ ધારાસભ્યો ધંધાદારીઓ છે અને પોતાના ધંધાનું જ વિચારે છે તેવી વ્યથા વ્યકત કરી. સાથે જ તેઓએ કોઈનો કોઈ ધર્મ કે પક્ષ નથી. સૌ ધંધાદારીઓ છે અને ધંધાનું જ વિચારે છે તેવો પણ બળાપો ઠાલવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહે એક કાર્યક્રમમાં પોતાના મનની વાત કરી હતી.

(8:24 pm IST)