Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

વડોદરાના માંજલપુરમાં વૃદ્ધ દંપતીના ઘરમાંથી તસ્કરોએ ત્રણ લાખની મતાની ઉઠાંતરી કરી

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને નડિયાદમાં રહેતા સંબંધીના ઘરે તુલસી વિવાહમાં ગયેલા વૃધ્ધ દંપતીના મકાનમાં ત્રાટકેલા તસ્કરો દાગીના સહિત ૩ લાખથી વધુની મતાની ચોરી કરી ગયા હતા.

માંજલપુરની શાંતીકુંજ સોસાયટીમાં પત્ની સાથે રહેતા ૭૭ વર્ષીય ઈન્દ્રવદન વ્રજલાલ શાહની મકરપુરા જીઆઈડીસીમાં ફેકટરી હતી જે વેચાણ કરી દીધા બાદ તે હાલમાં નિવૃત જીવન ગાળે છે. ગત ૧૯મી તારીખના સવારે સાડા સાત વાગે તે પત્ની સાથે નડિયાદમાં રહેતા સંબંધીના ઘરે તુલસી વિવાહ પ્રસંગે ગયા હતા અને ગત રાત્રે ઘરે પરત ફર્યા હતા. આ સમયગાળા દરમિયાન તસ્કરોએ તેમના મકાનના મુખ્ય દરવાજાને મારેલું તાળુ નકુચા સાથે તોડી નાખી મકાનમાં પ્રવેશ કર્યો હતો. 

(4:56 pm IST)