Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રાજયમાં કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 16 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :કુલ મૃત્યુઆંક 10.087 :કુલ 8.16.126 લોકોએ કોરોનાને હરાવ્યો: આજે વધુ 3.21.058 લોકોનું રસીકરણ કરાયું

વલસાડમાં 6 કેસ, સુરતમાં 5 કેસ, અમદાવાદ અને નવસારીમાં 4-4 કેસ, કચ્છ અને રાજકોટમાં 2-2 કેસ, ભાવનગર અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 165 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 16 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 13 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.126 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી રાજયમાં કુલ મૃત્યુઆંક 10.087 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.21.028 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.83.21.998  લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 165 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને 159 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.126  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એક પણ  દર્દીનું મૃત્યુ થયું નથી , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.087 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 25 કેસમાં વલસાડમાં 6 કેસ, સુરતમાં 5 કેસ, અમદાવાદ અને નવસારીમાં 4-4 કેસ, કચ્છ અને રાજકોટમાં 2-2 કેસ, ભાવનગર અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયો છે

(7:43 pm IST)