Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વિરમગામ તાલુકા તલાટી કમ મંત્રી મંડળની નવીન કારોબારીની રચના કરાઈ

શિવ દેવ નર્સરી ફાર્મ સોકલી ખાતે તલાટી કમ મંત્રી મંડળની જનરલ સભા મળી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)  વિરમગામ :  તા-૨૨/૧૦/૨૦ના રોજ વિરમગામ તાલુકાના તલાટી કમ મંત્રી મંડળની રચનાને ૩ વર્ષનો સમય પુરો થતા નવિન કારોબારીની રચના માટે વિરમગામ તાલુકાના તમામ તલાટી મંત્રીઓની જનરલ સભા શિવદેવ નર્સરી ફાર્મ (ગઢવી ફાર્મ) સોકલી ખાતે જમણવાર સાથે યોજાઈ હતી. જેમા  સતત ૩(ત્રીજી) વખત  અમૃતભાઈ મજેઠીયાની પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ઉપ-પ્રમુખ તરીકે મિતુલભાઈ ટાપરિયા, મંત્રી તરીકે કમલેશભાઈ ઓગાણિયા, સભ્ય તરીકે કલ્પેશસિંહ પરમાર, સુરેશભાઈ ભગોરા, અતુલભાઇ પારા, આશાબેન કનોજીયાની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવી કારોબારીના હોદ્દેદારોને તલાટી કમ મંત્રીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.

(7:21 pm IST)