Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

નવરાત્રીની ઉજવણી બંધ રહેતા ફુલોની ડિમાન્ડ ઘટી : કપુર-ગુગળ-અગરબતીની વધી

કપુર-ગુગળ-અગરબતીની ડિમાન્ડ ત્રણ ગણી વધી : ભાવ પણ વધ્યો

 વડોદરા,તા.૨૨ :  વડોદરામાં નવરાત્રી વખતે સામાન્ય રીત ફૂલોનું બજાર ઉંચકાતુ હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે નવરાત્રી મહોત્સવની ઉજવણી બંધ છે જેથી ફૂલોના માર્કેટમાં ભારે મંદી જોવા મળી રહી છે તો બીજી તરફ લોકડાઉનની અસરના કારણે કપૂર, અને ગુગળ જેવી પુજાપાની ચીજ વસ્તુઓના બજારમાં ભડકો જોવા મળી રહ્યો છે.

 નવરાત્રીમાં માતાજીના શૃંગાર માટે મોટાભાગે ગલગોટાના પીળા ફૂલ અને ગુલાબના ફૂલનો મુખ્યત્વે ઉપયોગ થાય છે આ ઉપરાંત તોરણ બનાવવામાં તથા સજાવટમાં પણ આ ફૂલોનો ઉપયોગ નવરાત્રીમાં વધી જતો હોય છે એટલે દર વર્ષે નવરાત્રીમાં ભાવ ઉંચકાય છે. વડોદરામાં ગત નવરાત્રી વખતે ગુલાબનો ભાવ પ્રતિ કિલો ૪૦૦ની આસપાસ હતો. આ વખતે ૧૫૦ રૂપિયા પ્રતિ કિલો છે તેવી રીતે ગલગોટાનો ભાવ ગત વર્ષે રૂ.૬૦ પ્રતિ કિલો હતો આ વર્ષે રૂ.૩૦ પ્રતિ કિલો છે છતાં ફૂલ વેચાતા નથી. ફૂલોના વેપારીઓ કહે છે કે ગત વર્ષની સરખાણીએ આ વર્ષે ૭૫ ટકાનો ઘટાડો થયો છે એટલે કે માંડ ૨૫ ટકાનું વેચાણ થયુ છે.

એક તરફ ફૂલોના બજારમાં મંદી છે તો પુજા માટે વપરાતા કપુરના ભાવમાં ભારે વધારો થયો છે. લોક ડાઉન પહેલા કપૂર રૂ.૭૦૦ થી ૮૦૦ પ્રતિ કિલો મળતુ હતું તેના બદલે હવે ૧૨૫૦ થી ૧૬૫૦ પ્રતિ કિલોના ભાવે મળે છે. ગુગળમાં પણ એવુ થયુ છે. લોકડાઉન પહેલા ગુગળનો ભાવ પ્રતિ કિલો રૂ.૫૦૦ હતો હાલમાં તે રૂ.૭૦૦ થી ૯૦૦ પ્રતિ કિલો મળે છે. અગરબત્ત્।ીના ભાવમાં પણ પ્રતિ કિલો રૂ.૨૦૦ થી ૩૦૦નો વધારો થયો છે.

 વિયેતનામથી આવતા કાચા માલની આયાત બંધ થઇ અને કોરોનાના કારણે કપૂર, ગુગળ સહિત ઔષધિની ડિમાન્ડ ત્રણ ગણી વધી કપૂર, ગુગળ અને અગરબત્ત્।ીના ભાવમાં ભારે ભાવ વધારો કેમ થયો તે અંગે વેપારીઓ સાથે વાત કરતા તેમનું કહેવુ છે કે  ઊંચ ત્રણ કારણો જવાબદાર છે. સૌ પ્રથમ તો કપૂર અને અગરબત્ત્।ીનો કાચો સામાન જે વિયેતનામથી આવતો હતો તેની આયાત લોકડાઉનના કારણે બંધ થઇ છે હજુ પણ ચાલુ થઇ નથી એટલે માલની અછત છ,ે ઉપરથી કોરોના વાયરસ સામે કપુર, ગુગળ, અશ્વગંધા, કલોંજી અને સુંઠ જેવી ઔષધિ રક્ષણ આપતી હોવાથી તેની માગમાં ત્રણ ગણો વધારો થયો એટલે આ ચીજ વસ્તુઓના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો થયો છે.

 ભારતમાં અગરબત્ત્।ીનું માર્કેટ ખૂબ મોટુ છે અને મોટાભાગની અગરબત્ત્।ી વિયેતનામથી આયાત થાય છે. ભારતમાં બનતી અગરબત્ત્।ી કરતા તે સસ્તી હોય છે ઉપરાંત કવોલિટીની દ્રષ્ટીએ પણ સારી હોય છે. અગરબત્ત્।ીની આયાત પણ બંધ થતા હવે લોકલ માર્કેટ ઉપર આધાર રાખવો પડે છે. જે સ્થાનિક હોવા છતાં વિયેતનામથી આયાત થતી અગરબત્ત્।ી કરતા ૩૦ ટકા મોંઘી પડે છે એટલે અગરબત્ત્।ીના ભાવમાં પણ વધારો થયો છે.

લોકડાઉન પહેલા અને પછી ભાવમાં તફાવત

ભીમસેની કપૂર

૭૫૦-૧૩૦૦

બરાસ કપૂર

૮૦૦-૧૬૫૦

કપૂર ટીકડી

૭૦૦-૧૨૫૦

ગુગળ

૫૦૦-૯૦૦

અગરબત્ત્।ી

૪૦૦-૬૦૦

અશ્વગંધા

૨૬૦-૬૦૦

સુંઠ

૩૦૦-૬૦૦

કલોંજી

૧૨૦-૨૬૦

લીમડાનો ગળો (ગીલોય)

૫૦-૧૨૦

(નોંધ : તમામ ભાવ પ્રતિ કિલો છે)

(9:54 am IST)