Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કાકરાપાર જમણા કાંઠા નહેરના પાણીમાં પુંજાનો સામાન પધરાવવા જતા માંડવીના યુવાનનું ડૂબી જવાથી કરૂણમોત

સુરત : જિલ્લાના માંડવી ખાતે રહેતો યુવાન કાકરાપાર જમણા કાંઠા નહેરના પાણીમાં પુંજાનો સામાન પધરાવવા જતાં પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજયું હતું.

મળતી માહિતી અનુસાર માંડવી ખાતે અંબિકા રેસીડન્સીમાં રહેતા મિતેશભાઇ અતુલભાઇ દવે (ઉ.વ.૩૪)  સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે તેમના ઘરેથી રૂપણ કાકરાપાર જમણા કાંઠા નહેરના પાણીમાં પુંજાનો સામાન પધરાવવા માટે ગયેલ તે વખતે આકસ્મીત રીતે નહેરના પાણીમાં પડી જતાં ડૂબી જવાથી તેમનું મોત નીપજયું હતું. તેમનો મૃતદેહ તડકેશ્વર ગામની સીમમાંથી તડકેશ્વરથી નાના નૌગામા તરફ જતી કાકરાપાર જમણા કાંઠાની નહેરના પાણીમાંથી મળી આવ્યો હતો. બનાવ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:25 pm IST)