Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

અમદાવાદના વસ્ત્રાલમાં ડોક્ટર પર બુલેટપર આવેલ શખ્સે ગોળીબારી કરી:પત્નીના મૃત્યુની રીસ રાખી હુમલો કર્યો હોવાની આશંકા

અમદાવાદ: શહેરના વસ્ત્રાલમાં રહેતા ડોક્ટરે બેન્કમાંથી પૈસા કઢાવવા જઈ રહ્યા હતા ત્યારે ઓઢવ પાસે બુલેટપર આવેલા શખ્સે તેમની પર ગોળીબાર કર્યો હતો. જેમાં ડોક્ટરના ડાબા હાથના બાવડા પર ઈજા પહોંચી હતી. તપાસમાં ડોક્ટરે અગાઉ આરોપીની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કરાવી ડિલીવરી કરાવી હતી. પરંતું તબિયત બગડતા તેમને સિવિલ  હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જેનું મનદુખ રાખીને આરોપીએ ડોક્ટર પર ગોળીબાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. બનાવની વિગત મુજબ  ડો. મુકેશભાઈ આર.પ્રજાપતિ(૪૭)વસ્ત્રાલમાં આલોક વિભાગ- બંગ્લોઝમાં રહે છે અને ઓઢવના મહેશ્વરીનગર પાસે કૃષ્ણકુંજ શોપિંગ સેન્ટરમાં જનરલ હોસ્પિટલ ધરાવે છે. ૨૧ ઓક્ટોબરના રોજ તે હોસ્પિટલમાં હાજર હતા ત્યારે તેમના મિત્ર સુભાષભાઈ પાંડેએ તેમની પાસે બે લાખ રૃપિયા ઉછીના માગ્યા હતા. આથી ડોક્ટર સ્કુટર લઈને તેમનું પંજાબ નેશનલ બેન્ક ઓઢવ બ્રાંચમાં એકાઉન્ટ હોવાથી નાણાં કઢાવવા જઈ રહ્યા હતા. ઓઢવ રબારી વસાહત નવી બનતી પાણીની ટાંકી પાસે તેઓ પહોંચ્યા ત્યારે મોબાઈલમાં રિંગ વાગતા તેમણે વાત કરવા માટે સ્કુટર ઉભુ રાખ્યું હતું.

(5:44 pm IST)