Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત: બાઈકચાલકનું ઘટના સ્થળે મોત

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાપોદ્રા પાટિયા નજીક બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, ડેડીયાપાડાના સામરપાડા ગામમાં રહેતા સુનિલ વસાવા પોતાની બાઇક નં. GJ 16 CC 8561 લઈ અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીકથી પસાર થઈ રહ્યા હતા, તે દરમ્યાન સામેથી પૂર ઝડપે આવતા કન્ટેનર ટ્રક નં. GJ 03 BW 7551 ના ચાલકે ગફલતભરી રીતે હંકારતા બાઈક ચાલકને અડફેટમાં લીધો હતો. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલક સુનિલ વસાવા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતના બનાવની જાણ અંકલેશ્વર પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાઇકચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

(9:41 pm IST)