Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

દિવાળીના તહેવારોમાં એસટી વિભાગ અમદાવાદ ,સુરત અને રાજકોટમાંથી વધુ 750 બસ દોડાવશે

 

અમદાવાદ :ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જતા યાત્રીઓ માટે એસ.ટી વિભાગે વધુ 750 બસ અમદાવાદ સુરત અને રાજકોટમાંથી દોડાવશે એસ.ટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાત  અને અમદાવાદના પ્રવાસીઓ માટે વધારાની બસો મુકવામાં આવી છે.

  સુરતમાં 3થી 6 નવેમ્બર દરમિયાન એકસ્ટ્રા ઉપડનાર બસોનું બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સહિત તમામ બસ સ્ટેશનોથી શરૂ કર્યું છે ઉપરાંત એસ.ટી દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્ટો, મોબાઈલ એપ, તથા નિગમની વેબસાઈટ ઉપરથી ઓનલાઈન ટીકીટ બુકિંગ શરૂ કરાયું છે .

(11:13 pm IST)