Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

નડિયાદની મંજીપુરા ચોકડી નજીક રિક્ષાની હડફેટે વૃદ્ધનુ કમકમાટી ભર્યું મોત

નડિયાદ:ની મંજીપુરા ચોકડીથી ગણપતિ ચોકડી વચ્ચે મધરાત્રે રીક્ષા ચાલકે વૃદ્ઘ રાહદારીને ટક્કર મારતા મોત નીપજ્યું હતું. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ જલારામ મંદિર, વિજયલ-મી સોસાયટીમાં રહેતા જીવાભાઈ ગાંડાભાઈ શુક્રવારે મધરાત્રે નડિયાદ બાયપાસ ગણપતિ ચોકડીથી મંજીપુરા ચોકડી વચ્ચે રોડ પરથી ચાલતા જતા હતા ત્યારે રીક્ષા નં. જીજે ૭ એટી ૨૨૮૨એ ટક્કર મારતા જીવાભાઈ ગાંડાભાઈ (ઉંમર ૬૦ વર્ષ)ને માથા તથા ડાબા પગે ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા જીવાભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. 
આ બનાવ અંગે છેલાભાઈ ઉકાભાઈ ભરવાડની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:45 pm IST)