Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ગોધરામાં રખડતા શ્વાનનો આતંક: 7 લોકોને ભર્યા બચકા :તંત્ર સામે લોકોમાં રોષ ફેલાયો

ગોધરા :શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફેલાયો છે અને શ્વાન લોકોને ઇજા પહોંચાડી રહ્યા છે. ગોધરામાં જુદા જુદા વિસ્તારમાં કુલ 7 લોકોને રખડતા શ્વાને બચકા ભર્યા હતા. જે તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા ગોધરામાં જે રીતે રખડતા શ્વાનોનો જે રીતે ત્રાસ છે તે જોઈને લોકો તંત્ર સામે રોષ પ્રગટ કરી રહ્યા છે

(2:53 pm IST)