Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વિરમગામ અને માંડલ તાલુકાનો અતિવૃષ્ટિ સહાય પેકેજમાં સમાવિષ્ટ કરવા ધારાસભ્ય દ્વારા રજુઆત કરાઈ

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ સહાય પેકેજ માં સમાવેશ ન કરવામાં આવતા વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા વિરમગામ અને માંડલ તાલુકાનો અતિવૃષ્ટિ સહાય પેકેજ માં સમાવેશ કરવા માટે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીએ પત્ર લખવામાં આવ્યો છે.
        વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ જણાવ્યું હતું કે, આજ રોજ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી  ને રૂબરૂ મળી અતિવૃષ્ટિ સહાય પેકેજમાં વિરમગામ અને માંડલ તાલુકાને સમાવવા વિનંતી કરી છે.

(8:18 pm IST)