Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ગરુડેશ્વરથી અધિકમાસ નિમિત્તે નર્મદા મંદિર ખાતેથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતેથી અધિકમાસ નિમિત્તે નર્મદા મંદિરથી નર્મદા પરિક્રમાનો પ્રારંભ શ્રી માધવદાસજી મહારાજની આગેવાનીમાં કરવામાં આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પરિક્રમા ગરુડેશ્વરથી ઓમકારેશ્વર અમરકંટક ભરૂચ નર્મદા સાગર થઈ પરત ગરુડેશ્વર ફરશે આ પરિક્રમાનો કાર્યક્રમ આશરે ૧૫ દિવસનો છે હાલમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે covid-19 ના નિયમોનું પાલન  તથા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનીટાઇઝરનો ઉપયોગ સાથે પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો છે.પરિક્રમામાં દત્ત મંદિર ના પુંજારી રાહુલભાઈ નાવરે, રાહુલ ભાઇ જોશી,ભીખુભાઈ,હરેશભાઈ, પ્રવીણભાઈ,હર્ષદભાઈ, યોગેશભાઈ, મહેન્દ્રભાઈ તથા નાના ભાઈ બારીયા સહિતના ભક્તો જોડાયા હતા

(7:16 pm IST)