Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

લીમડાનાં પાન કેન્સરથી લઇને ડાયાબિટીસ જેવી બીમારીમાં ગુણકારી

દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે ૫-૬ લીમડાના પાન ખાઈ જાવઃ નખમાં પણ રોગ નહિં રહે : લીમડાના પાન નેચરલ બ્યુટી ટોનિકની જેમ કામ કરે છે, ચામડીમાં ડાઘ - ધબ્બા અને ખીલ હોય કે કોઈપણ ચામડીના રોગ હોય લીમડાના પાનને ક્રશ કરી લગાવવાથી ચામડીના રોગો પણ દૂર થાય : ખાલી પેટે લીમડાના પાન ચાવવાથી તમારા શરીરનું બ્લડ સુગર કંટ્રોલમાં રહેઃ જો તમને ડાયાબીટીસ નથી તો પણ ભવિષ્યમાં થવાની શકયતા ઓછી રહે : ડાયાબીટીસના દર્દીઓ માટે લીમડા પાનનું જ્યુસ પણ ફાયદાકારક : લીમડાના પાનમાં વિશેષ એન્ટીઓકિસડેન્ટસ હોય, જે શરીરમાં કેન્સર સેલ્સને વધતા અટકાવે : કેન્સર જેવી જીવલેણ બિમારીથી પણ બચી શકાય

નવી દિલ્હી : લીમડાનાં પાંદડાં આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરીરમાં સોજો ઓછો કરવામાં મદદ કરે છે. લિવર અને હૃદયને સ્વસ્થ રાખે છે અને ઇમ્યૂન સિસ્ટમ્સને મજબૂત બનાવે છે. લીમડો એક એવું વૃક્ષ છે જેની છાલ, પાંદડાંઓ, ડાળીઓ, લાકડી એમ બધા ભાગ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને લીમડાનાં પાંદડાંઓમાં ઔષધિય ગુણ હોય છે. દરરોજ સવારે ઉઠીને ૫-૬ લીમડાનાં પાંદડાં ખાલી પેટ ખાવા તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જે તમને કેટલીય ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે. લીમડાના પાનથી ફાયદાઓ શું થાય તે વિશે જાણીએ.

કેન્સર આ સમયમાં વિશ્વની મોટી બીમારીઓમાંથી એક છે, જેના કારણે દર વર્ષે કરોડો લોકો મૃત્યુ પામે છે. લીમડાંનાં પાંદડાંમાં વિશેષ એન્ટીઓકસીડેન્ટ્સ હોય છે, જે શરીરમાં કેન્સર સેલ્સને વધતાં અટકાવે છે. એટલા માટે દરરોજ સવારે લીમડાના ૪-૫ લીમડાના પાંદડાં ચાવી લેવાથી તમે કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓથી બચી શકો છો.

ઇમ્યૂનિટી વધારે

ઇમ્યૂનિટી વધારવા માટે તમારે ખૂબ જ મોંઘી દવાઓ અથવા સપ્લીમેન્ટસ લેવાની કોઇ જરૂર નથી. તમે દરરોજ સવારે ઉઠીને લીમડાંના તાજાં પાંદડાં તોડીને ખાઇ લો, તેનાથી તમારૃં ઇમ્યૂન સિસ્ટમ્સ મજબૂત થઇ શકશે.

ડાયાબિટીસમાં બચાવ

સવાર-સવારમાં ખાલી પેટ લીમડાના પાંદડાં ચાવવાથી તમારા શરીરનું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે અને તમે સ્વસ્થ રહો છો. એટલા માટે જો તમે પહેલાથી ડાયાબિટીસનો શિકાર છો તો તમે શુગર કંટ્રોલ કરવામાં લીમડાંનાં પાંદડાં તમારી મદદ કરે છે અને જો તમને ડાયાબિટીસ નથી તો ભવિષ્યમાં તેના થવાની શકયતા ઓછી થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓએ લીમડાંના પાંદડાંનો જયૂસ પીઓ, તો તેના માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

ત્વચાની ચમક વધારે

લોહીમાં રહેલી અશુદ્ઘિઓ જ તમારા ચહેરાને નીરસ અને ખરાબ દેખાવા માટેનું કારણ હોય છે. જયારે તમારા શરીરમાંથી ટોકિસન્સ ઓછું થવા લાગે છે ત્યારે ત્વચાની ચમક વધવા લાગે છે. આ રીતે લીમડાંના પાંદડાંને તમે નેચરલ બ્યૂટી ટોનિકની જેમ પણ કામ કરે છે. ત્વચા પર ડાઘ-ધબ્બા અને ખીલની સમસ્યા હોય અથવા કોઇ પ્રકારનો ચામડીનો રોગ, સ્કિન ઇન્ફેકશન વગેરે લીમડાંનાં પાંદડાંને ક્રશ કરીને લગાવવાથી તમારી સમસ્યાઓ ઠીક થઇ જાય છે.

(3:58 pm IST)