Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

27મીએ બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી : રિવાઇલ અને રોયલ જૂથ વચ્ચે જામશે ટક્કર

રૉયલ ગ્રુપમાંથી અંશુમાન ગાયકવાડ, જતીન વકીલ જ્યારે રિવાઇવલ જૂથ પ્રણવ અમીનને પ્રમુખ પદ માટે મેદાનમાં ઉતારશે.

 

વડોદરા : આગામી 27મી સપ્ટેમ્બરે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી યોજાનાર છે એસોસિયેશનનની મેનેજીંગ કમિટી સહીત સબ કમિટીઓના સભ્યોની ચૂંટણી યોજાશે બીસીએની ચૂંટણીમાં  મેનેજિંગ કમિટી સહિત વિવિધ સબ કમિટીઓ માટે ઉમેદવારી કરવા 500થી વધુ ઉમેદવારી પત્રોનું અત્યાર સુધી વિતરણ થયું છે. રિવાઇવલ જૂથમાં પ્રણવ અમિન સહિત સત્યજિત ગાયકવાડ સક્રિય છે. તો રોયલ જૂથમાં મહારાજા સત્યજિતસિંહ ગાયકવાડ અને બીસીસીઆઇના પૂર્વ સચિવ સંજય પટેલ સક્રિય છે.

લોઢા કમિટી મુજબ બીસીસીઆઇ અને બરોડા ક્રિકેટ એસોસિએસન સહિત તમામ સ્ટેટ એસોસિએશનની ચૂંટણીમાં નવ વર્ષના હોદ્દેદારો ચૂંટણી લડી શકે નહીં. નિયમ કમિટીના સભ્યોને પણ લાગુ થાય છે. તેવો બીસીસીઆઇ દ્વારા બીસીએને ઇમેલ આવતા નિયમને બીસીએ સુપ્રીમ કોર્ટમાંપડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે નિયમ માત્ર હોદ્દેદારોને લાગુ પડશે તેવો આદેશ કરતા મેનેજિંગ કમિટીના સભ્યો આગામી ચૂંટણાં ઉમેદવારી કરતા બંને જૂથો વચ્ચે ઉમેદવારીના સમીકરણો બદલાય તેવી શક્યતાઓ ઊભી થઇ છે. રૉયલ ગ્રુપમાંથી અંશુમાન ગાયકવાડ, જતીન વકીલ પ્રમુખ માટે ઉમેદવારી બની શકે છે જ્યારે રિવાઇવલ જૂથ પ્રણવ અમીનને બીસીએના પ્રમુખ પદ માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે.

ચૂંટણીની જાહેરાત પછી ઉમેદવારી પત્ર પાછો ખેંચવાની અંતિમ તારીખ 23 સપ્ટેમ્બર છે અને ત્યારબાદ માત્ર ત્રણ દિવસમાં 27 સપ્ટેમ્બરે 1800 સભ્યો ધરાવતી બીસીએમાં મતદાન યોજાશે

 

 

 

(12:17 am IST)