Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો :દાહોદ અને સંજેલી પંથકમાં ધોધમાર વરસાદ: નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. દાહોદ શહેર તથા આસપાસના સંજેલી સહિતના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

   દાહોદ શહેરમાં સવારથી જ વરસાદ શરૂ થયો હતો. દાહોદ તથા સંજેલી સહિત આસપાસના વિસ્તારના ગામોમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. દાહોદમાં જોરદાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દાહોદની બજારોમાં તો નદીના વહેણની જેમ પાણી વહી નીકળ્યા હતાં. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(9:30 pm IST)