Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં સાસરિયા ત્રાસથી પરિણીતાએ મોતને વ્હાલું કર્યું

નડિયાદ:પશ્ચિમ વિસ્તારમાં પરીણિતાએ પોતાના પતિ અને સાસુના ત્રાસથી ગળાફાંસો ખાઈ લીધો છે. સંતાના પ્રાપ્ત નહી થતાં પરીણિતાના પતિ અને સાસુએ પરીણિતા ઉપર ત્રાસ વર્તાવતા હતા. 

 


આ ત્રાસ સહન નહી થતાં પરીણિતાએ આપઘાત કર્યો છે. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ત્રાસ આપનાર પતિ અને સાસુ  સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે.

આ બનાવમાં મળતી વિગતો અનુસાર નડિયાદ શહેરના પીજ રોડ ઉપર ઈન્કમટેક્ષ ઓફીસની સામે અક્ષરકુંજ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના બી-૩ની અંદર મીતેષભાઈ વિનોદચંદ્ર ત્રિવેદી રહે છે. તેઓ પોતે શહેરમાં આવેલ એક ખાનગી બેંકમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. મીતેષભાઈના લગ્ન થોડા વર્ષો પહેલ વડોદરા જીલ્લાના ઈંટોલામાં રહેતા દેવીલાલ ભાગવતપ્રસાદ પ્રશાંતની દિકરી ખુશ્બુબેન (ઉં.વ.૨૮) સાથે થયા હતા. 

(5:15 pm IST)