Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ગાંધીનગર શહેરમાં ઉભરાતી ગટરોની સમસ્યા: રોગચાળો વકરતા ગ્રામજનોમાં આરોગ્યને લઈને ભય જોવા મળ્યો

ગાંધીનગર: શહેરમાં સમાવિષ્ટ બોરીજ ગામમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યા સર્જાઇ રહી છે. સતત ઉભરાતી ગટરોના કારણે ગ્રામજનો પણ હેરાન પરેશાન થઇ ગયા છે ત્યારે શાળાએ અભ્યાસ અર્થે જતાં બાળકોને પણ અવર જવરમાં ગંદકીનો તેમજ દુર્ગંધ યુક્ત પાણીનો સામનો કરીને પસાર થવું પડે છે. જેથી ગ્રામજનોના આરોગ્ય સામે પણ ખતરો તોળાઇ રહ્યો છે. જેથી તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પાટનગરમાં આવેલાં બોરીજગામમાં અવાર નવાર ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાય છે. વારંવાર આ પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે ગ્રામજનો પણ ત્રસ્ત થઇ ગયા છે. તંત્ર દ્વારા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવતાં છેલ્લા ઘણા સમયથી ગામમાં આવેલાં બગીચા સુધીના વિસ્તારમાં ગટરના ગંદા પાણી લીકેજ થવાના કારણે ઉભરાઇ રહ્યાં છે. 

(5:29 pm IST)