Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાકિસ્તાન રઘવાયું બન્યું :કચ્છના સરક્રીક વિસ્તારમાં કમાન્ડો તૈનાત કર્યા

પાકિસ્તાનના ઇકબાલ બાવજા પોસ્ટ ઉપર કમાન્ડોને તૈનાત કર્યો

અમદાવાદ : કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન રઘવાયું બન્યું છે પાકિસ્તાન નવા નવા ઉબાડિયા કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાને  ગુજરાતના સરક્રીક વિસ્તારમાં એસએસજી કમાન્ડો તૈનાત કર્યો છે. પાકિસ્તાનના ઇકબાલ બાવજા પોસ્ટ ઉપર પોતાના કમાન્ડોને તૈનાત કર્યો છે. સુત્રોનું માનવું છે કે, કમાન્ડોનો ઉપયોગ ત્યાં તૈનાત ભારતીય સુરક્ષા દળો સામે ઓપરેશન કરવા થઇ શકે છે.

 

    મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનની સેનાની હરકતના પગલે ભારતીય સેના પણ હરકતમાં આવી ગઇ છે. અને આ વિસ્તારમાં સુરક્ષા પણ વધારી હોવાનું જાણવા મળે છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા સરક્રિક વિસ્તારમાં અવાનર નવાર શંકાસ્પદ પાકિસ્તાની લોકોને પકડવામાં આવ્યા છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તામાં આવેલી ભાજપ સરકાર દ્વારા કાશ્મીર ઉપર લગાવેલી વર્ષો જૂની કલમ 370 હટાવી લેવામાં આવી છે

   
(9:47 pm IST)