Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

માણસા નજીક વરસોડામાં પરિવારના સભ્યો બહાર ગયા હોવાનો ફાયદો ઉઠાવી તસ્કરોએ એક કલાકમાં પાંચ હજારની મતાની ઉઠાંતરી કરી

માણસા: પાસેના વરસોડા ગામે રહેતા એક પરિવારના કાકા ગુજરી ગયેલા હોય પરિવાર તેમની બારમાની વિધીમાં ગયો હતો ત્યારે માત્ર એક જ કલાકના વચ્ચેના સમયગાળામાં કોઈ શખ્સોએ લોખંડની જાળીનું તાળુ તોડી તિજોરીનો સામાન વેરણછેરણ કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી પાંચ લાખથી ઉપરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા જેની જાણ થતા જ પરિવારે આ બાબતે માણસા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

વરસોડા ગામે રહેતા ગજેન્દ્રસિહ નટવરસિહ ચાવડા કે જેઓના કાકા થોડા દિવસ અગાઉ  મૃત્યુ પામેલા હોય ગતરોજ તેઓના બારમાની વિધિ હતી ત્યારે સવારે આઠ વાગે તેઓ ત્યા ગયા હતા. જયારે તેમમના પત્ની દશ વાગે ઘરની જાળીને તાળુ નાખીને ત્યા વિધિમાં પહોચી ગયા હતા. દરમિયાનમાં માત્ર એક જ કલાક બાદ એટલે કે ૧૧ વાગે તેઓની બંને દીકરીઓએ બહારથી આવતા ઘરના તમામ બારી-બારણા ખુલ્લા અને  તિજોરીનો સામાન અસ્તવ્યસ્ત પડેલો જોઈ આશંકાવ્યક્ત કરી તેઓએ જઈને તેમના પિતાને સમગ્ર હકીકતની જાણ કરી હતી. 

(5:06 pm IST)