Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

કપડવંજ તાલુકામાં સમાજના ડરથી બે પ્રેમી પંખીડાએ મોતની છલાંગ લગાવી જીવનલીલા સંકેલી લીધી

 કપડવંજ:તાલુકામાં વાઘાવત નાની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે પ્રેમીપંખીડાની હાથ બાંધેલા મૃતદેહ મળી આવતા વિસ્તારમાં  ચકચારી મચી ગઈ હતી. બુધવારે બપોરે ૧૨-૩૦ વાગ્યાની આસપાસ  નર્મદા મુખ્ય કેનાલના વાઘાવત પુલ પાસેથી હાથ બાંધેલા યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મરણ જનાર બન્ને વ્યક્તિ આશરે ૨૦ વરસની ઉંમરના હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવકનું નામ મહેન્દ્રકુમાર રમેશચન્દ્ર કોળી હોવાનું તથા તે મૂળ રાજસ્થાનના ઝાલોરનો વતની હોવાની માહિતી પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી છે. જ્યારે સાંજ સુધી મૃતક યુવતીની ઓળખ થઈ શકી હતી

મરણ જનાર યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં હોવાથી હાથ બાંધીને કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું તારણ પ્રાથમિક તપાસમાંથી બહાર આવ્યું છે. ઘટના અંગે આંતરસુબા પોલીસ ટીમે .ડી. નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સમાચાર આસપાસના વિસ્તારોમાં પ્રસરતા ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. લોકોમાં એવી ચર્ચાએ જોર પકડયું હતું કે વિસ્તારમાં કેનાલમાં કૂદી આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે. બાબતે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવી જોઈએ.

(7:19 pm IST)